- મંદિરોમાં આજે દેવ-દેવીઓની પ્રતિમાઓના સુંદર શૃંગાર કરવામાં આવ્યા
- મંદિરોમાં હવે ચાર્તુમાસના રીતરિવાજ મુજબ ધાર્મિક કાર્યો થશે
- આજે અષાઢ સુદ અગિયારસના પાવન પર્વથી ચાર્તુમાસનો આરંભ થયો
આજે અષાઢ સુદ અગિયારસના પાવન પર્વથી ચાર્તુમાસનો આરંભ થયો છે. આણંદ સહિત જિલ્લાના વિવિધ મંદિરોમાં આજે દેવશયની એકાદશીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં આજે દેવ-દેવીઓની પ્રતિમાઓના સુંદર શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાવિકો દર્શન માટે ઉમટયા હતા.
હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ દેવશયની એકાદશીને દેવ પોઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી હિન્દુ ધર્મના રીતરિવાજ મુજબ હવે માંગલિક કાર્યો પર બ્રેક લાગશે. આ વખતે તો અષાઢ બાદ અધિક શ્રાવણ માસનો આરંભ થશે. જેના કારણે માંગલિક કાર્યોનો આરંભ થતા હવે વધુ એક માસ લાગશે.










