ભાભર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીની ઘટના કારણે કપરૂપુર,ચચાસણા,મોતીસરી અને બુરેઠામાં અઠવાડિયામાં એક દિવસ તલાટી હાજર રહે છે.
ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે પંચાયતો જાણે કે નધણીયાતી હોય તેમ ગ્રામ પંચાયતોમાં તલાટીઓ રેગ્યુલર ના આવતાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે પંચાયતો બંધ હાલતમાં જોવા મળે છે. અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય કોઈ કામ હોય તો તલાટીના સહી સિક્કા કરાવવામાં માટે અન્ય ગ્રામ પંચાયતોમાં તેમજ ભાભર સુધી લાંબુ થવું પડે છે. જાણવા મળતી વિગત મુજબ, ભાભર તાલુકાના કપરુપુર, મોતીસર, ચચાસણા અને બુરેઠા સહિત ચાર ગામ વચ્ચે એક જ તલાટી હોઈ અઠવાડીયામાં એક જ દિવસ તલાટી ફાળવવામાં આવે છે. જ્યારે ચચાસણા ગામની મુલાકાત લેતા ગામના લોકોએ એવું જણાવ્યું હતું કે, તલાટી અઠવાડીયામાં એક દિવસ આવે છે અને થોડો સમય રહે છે. જો અઠવાડીયામાં એક દિવસ તલાટી આવતા હોય તો અન્ય દિવસોમાં તલાટીનું કામ હોય તો તલાટીને અન્ય ગ્રામ પંચાયતે અથવા ભાભર જઈને અરજદારને સહી સિક્કા કરવા પડે છે.










