• બોરતળાવમાં ડૂબી જવાથી 4 બાળકીઓના મોત
  • બોરતળાવમાં નાહ્વા પડેલી 5 બાળકીઓ ડૂબી
  • 5 બાળકીઓમાં એકનો બચાવ,અન્ય 4ના મોત

ભાવનગરના સિદસરમાં 4 બાળકીઓના ડૂબી જતા મોત થયા છે. જેમાં બોરતળાવમાં ડૂબી જવાથી 4 બાળકીઓના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તેમાં બોરતળાવમાં નાહ્વા પડેલી 5 બાળકીઓ ડૂબી હતી. જેમાં 5 બાળકીઓમાં એકનો બચાવ થયો છે. તેમજ અન્ય 4ના મોત થયા છે.

એકની હાલ સારવાર ચાલી રહી છે

[[$googlead]]

બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે.

[[$alsoread]]

બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા

બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને પણ સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે. જેમાં કિંજલબેન મનીષભાઈ ચારોડિયા ઉંમર - 13 વર્ષના ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ રાશીબેન મનીષભાઈ ચરોડિયા ઉંમર - 9 વર્ષ, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા ઉંમર - 13 વર્ષ તથા અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉંમર - 13 વર્ષ તેમજ ધીંગીબેન વિજયભાઈ પરમાર ઉંમર - 8 વર્ષની મોત થઇ છે. આ તમામ મફતનગર બોરતળાવ પાછળ દેવી પૂજક વાસના રહેવાસી છે.

તાજેતરમાં જ સુરતમાં રહેતા પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા હતા

તાજેતરમાં જ સુરતમાં રહેતા પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.પોઈચા નજીક નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી જતાં રાજપીપળા ટાઉન પોલીસ, ફાયર વિભાગની ટીમ પોઈચા પહોંચી હતી અને તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતુ. ત્રણ બાળકો સહિત આઠ લોકો ડુબતા દોડધામ મચી ગઇ હતી. આઠમાંથી એક યુવકને સ્થાનિકે બચાવી લીધો હતો. જ્યારે સાત લોકો પાણીમાં ગરકાવ થઇ જતાં ફાયર બ્રિગેડ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.જેમાં પાણીમાં ગરકાવ થયેલા સાત લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થયો હતો.

દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા હતા

બીજી તરફ નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા હતા. 6 લોકો દરિયામાં ડૂબવાની ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકો દરિયામાં લાપતા થયા હતા. રવિવાર હોવાના કારણે પરિવાર અહીં ફરવા માટે આવ્યો હતો. નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા જેમાં 2 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લોકો લાપતા થયા હતા.


  • Follow us on: