- ગુજરાત રાજ્ય સંચાલિત છે આદર્શ નિવાસી શાળા
- પટાંગણમાં સરસ્વતી સાધના યોજનાની સેંકડો સાયકલ વરસાદી માહોલ વચ્ચે કટાઇ રહી છે
- વિધાર્થીઓને સાયકલ કયારે આપવી તેની જોવાઈ રહી છે રાહ ?
આ છે અમરેલી પાસે આવેલ માંગવાપાળ નજીકની ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળા,રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ દરમિયાન સાયકલ આપવામાં આવે છે તે 2023 ના પ્રવેશ ની સાયકલો આ આદર્શ નિવાસી શાળામાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે તેના ચાડી ખાતા દ્રશ્યો સામે આવ્યા છે.
સાયકલની વિધાર્થીઓ જોઈ રહ્યાં છે રાહ
હાલતો 2024ના શાળા પ્રવેશ ઉત્સવની ધામ ધૂમથી રાજનેતાઓએ ઉજવણી પૂર્ણ કરી છે ત્યારે 2023ની પ્રવેશ ઉત્સવની સાયકલો વરસાદમાં કટાઈ રહી છે અમરેલી જિલ્લામાં 2023 / 24 ની સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલો હાલ આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે ત્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જણાવી રહ્યા છે 2023/24 ની સાયકલો કંપની દ્વારા તૈયાર કરી પૂરી પાડવાની થાય છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને સોંપવામાં આવતી હોય છે.

થર્ડ પાટી ઈન્સ્પેકશન બાદ અપાય છે સાયકલ
થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને શાળાને સાયકલનુ વિતરણ કરવામાં આવે છે હાલમાં આદર્શ નિવાસી શાળામાં સાયકલો પડી છે તે કચેરીને કંપની દ્વારા સોંપવામાં આવી નથી અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ કચેરી દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી છે તાત્કાલિક પેસિફિકેશન મુજબ અને થર્ડ પાર્ટી ઇસ્પેકશન કરાવી વહેલી તકે સાયકલ સોંપવામાં આવે અન્યથા આદર્શ નિવાસી શાળા માંથી તાત્કાલિક સુરક્ષિત જગ્યા એ ફેરવી નાખવા માટે ની લેખિત કંપનીને જાણ કરવામાં આવી છે.
મેદાનમાં સડતી સાયકલ
હાલતો આ સાયકલો આ મોટા મેદાનમાં કાટ ખાઈ રહી છે 2023 ની સાયકલો બાળકોને આપવાની હોય છે તે સાયકલો હજુ બાળકોને આપવામાં આવી નથી અને અધિકારીઓ દ્વારા કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે હાલ સાયકલને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેવા સૂચનો કર્યા છે અને તાત્કાલિક બાળકોને સાયકલ આપવામાં આવે છે તેવા પ્રયત્નો કરવામાં આવશે.









