• ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત
  • રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 88 કેસો
  • સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 88 કેસો નોંધાતા આરોગ્ય ટીમ કામે લાગી છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર, કુલ 88 કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 88 કેસ નોંધાયા છે. સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસો નોંધાયા છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે.  અરવલ્લી અને ખેડા 6-6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, જામનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા 4-4 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ જ્યારે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા છે. વડોદરા અને ભાવનગર,  દ્વારકા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર..!

  • વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 88 કેસ નોંધાયા
  • પંચમહાલમાં સૌથી વધુ 11 શંકાસ્પદ કેસ નોંધાયા
  • સાબરકાંઠામાં 9, અમદાવાદ કોર્પોરેશનમાં 7 કેસ
  • અરવલ્લી અને ખેડા 6-6 શંકાસ્પદ કેસ નોંધાયા
  • મહેસાણા, જામનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા
  • રાજકોટ, મોરબી, બનાસકાંઠા 4-4 કેસ નોંધાયા
  • સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ
  • મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ 2-2 કેસ નોંધાયા
  • નર્મદા અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા
  • વડોદરા અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા
  • દ્વારકા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા
  • ચાંદીપુરા વાયરસના કારણે 36 બાળકોએ જીવ ગુમાવ્યા
  • ચાંદીપુરા વાયરસના કારણે 46 બાળકો સારવાર હેઠળ
  • ચાંદીપુરા વાયરસથી 10 બાળકોને રજા અપાઇ
  • રાજસ્થાનમાં 3 કેસ, મધ્ય પ્રદેશમાં 2 કેસ નોંધાયા
  • રાજસ્થાનમાં 1નું મોત, 2 બાળક સારવાર હેઠળ
  • કુલ 1,36,706 વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી

ચાંદીપુરા વાયરસના કારણે 36 બાળકોએ જીવ ગુમાવ્યા

ચાંદીપુરા વાયરસના કારણે 36 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ચાંદીપુરા વાયરસના કારણે 46 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે 10 બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં 3 કેસ અને મધ્ય પ્રદેશમાં 2 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 1નું મોત જ્યારે 2 બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમની કુલ 1,36,706 વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: