- નાણાંની ફાળવણી છતાં તળાવની યોગ્ય સફાઇ નહી
- તળાવ કિનારા ઉપર રહેતા રહીશોની હાલત કફોડી બની ગઇ
- પ્રજાને લગતી આ ગંભીર સમસ્યાનો નિકાલ થાય તેવી માંગ
છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી નગરની મધ્યમાં આવેલ કુસુમસગર તળાવની સફઈ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાફ કરવા વારંવાર નાણાં મંજુર કરવામાં આવે છે. પરંતુ યોગ્ય રીતે સાફ થતું નથી. જેના કારણે પ્રજાની હાલત કફોડી બની છે.
તળાવ કિનારે ગંદકી અને ગંદુ દુર્ગંધ વાળું પાણી અને અસહ્ય દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નગર પાલિકાની 5 વર્ષની મુદત પૂર્ણ થતા પાલિકાના સભ્યો હવે રહ્યા નથી. જ્યારે હાલ પાલિકા વહીવટ દારને હવાલે ચાલે છે. તો પ્રજાને લગતી આ ગંભીર સમસ્યાનો નિકાલ થાય અને તળાવ કિનારાની ગંદકીની સાફ્ સફઈ કરાય તેવી પ્રજાની માંગ છે. તો શું આ અંગે અધિકારીઓ ધ્યાન આપશે ખરા ?










