તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે જૂનાગઢની 8 હોસ્પિટલને કલેક્ટરે નોટિસ ફટકારી છે.


મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં PMJAY યોજના અંતર્ગત કલેક્ટરની મોટી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં 8 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં કેશોદની એક હોસ્પિટલને PMJAYમાંથી રદ કરાઇ છે. આવકાર હોસ્પિટલમાં બેદરકારીઓ સામે આવી હતી. ઇન્સ્યોરન્સ એજન્સી દ્વારા પણ ચેકિંગ કરાયું હતું. ચેકિંગ દરમિયાન બેદરકારીઓ સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે. જૂનાગઢની આઠ હોસ્પિટલ પાસે કલેક્ટરે ખુલાસો માંગ્યો છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા (SOP) બનાવી છે. જો આ SOPનું જે હોસ્પિટ પાલન નહીં કરે તેના પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

  • Follow us on: