- દસાડાના જગદીશણ ગામે આગમ-9 નામે સ્કીમ મૂકી બેંકમાંથી રૂ.5.79 કરોડની લોન લીધી હતી
- બિલ્ડરો સામે છેતરપીંડીની ફરિયાદ દસાડા પોલીસ મથકે નોંધાઈ છે
- શૈલેષભાઈના નામે કરવા જગદીશણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી
ધ્રાંગધ્રામાં રહેતા પરીવારે દસાડા તાલુકાના જગદીશણ ગામે અમદાવાદના 2 બિલ્ડો દ્વારા બહાર પડાયેલ આગમ-9ની સ્કીમમાં મકાન લીધુ હતુ. વર્ષ 2019માં મકાનનો દસ્તાવેજ થઈ ગયા બાદ નામે કરાવવા જતા એનઓસીની જરૂર પડી હતી. ત્યારે આ મિલકત બેંકના તારણમાં હોવાની તથા બિલ્ડરોએ બેંકમાંથી રૂપીયા ૫.79 કરોડની લોન લીધી હોવાનું બહાર આવતા બન્ને બિલ્ડરો સામે છેતરપીંડીની ફરિયાદ દસાડા પોલીસ મથકે નોંધાઈ છે.
ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં રહેતા 30 વર્ષીય શૈલેષ બીપીનચંદ્ર પરમાર હાલ એમ.એ.માં અભ્યાસ કરે છે. તેમના પિતા બીપીનચંદ્રનું તા. 15-2-23ના રોજ અવસાન થયુ હતું. તેમના પિતાએ દસાડા તાલુકાના જગદીશણ ગામે આગમ-9 નામની સ્કીમમાં રૂપીયા 10,50,000નું મકાન ખરીદ્યુ હતુ. આ મકાનનો તા. 13-5-2019ના રોજનો પિતાના નામનો દસ્તાવેજ પણ હતો. ત્યારે બીપીનચંદ્રએ આ મકાન શૈલેષભાઈના નામે કરવા જગદીશણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.










