- પાલનપુર ગઠામણ પાટિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલને નખાઈ છે પાઈપલાઈન
- નગરપાલિકા દ્રારા રૂપિયા 150 કરોડના ખર્ચે નખાઈ રહી છે પાઈપલાઈન
- બિલ્ડરોએ ફલેટમાંથી ગંદા પાણીની પાઈપલાઈન નગરપાલિકા સાથે જોડી હોવાનો આક્ષેપ
પાલનપુરના ગઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી વરસાદી પાણીની પાઇપ લાઈન નાખવા રૂ. 1.50 કરોડના ખર્ચે કામગીરી આરંભી છે. જો કે પાલિકાની આ કામગીરી તો હજુ અધવચ્ચે પહોંચી છે અને તે પહેલા જ વિસ્તારની કેટલીક સોસાયટીના બિલ્ડરોએ પોતાની સોસાયટીના ગંદા પાણીની પાઈપલાઈન જ વરસાદી પાણીની પાઇપલાઈનમાં જોડી દીધી છે ત્યારે શહેરીજનોને ભૂતિયા કનેકશન મામલે પાલિકા હવે આ બિલ્ડરો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
બિલ્ડરોની લાઈન જોડાઈ પાલિકા સાથે
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટીયા પાસે છેલ્લા દસ વર્ષથી પાણી ભરવાની સમસ્યા છે અનેક લોકો હેરાન થાય છે અને આ સમસ્યાને નિવારવા માટે પાલનપુર નગરપાલિકાએ દોઢ કરોડના ખર્ચે ગઠામણ પાટીયાથી લાલિયા તળાવ સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખી અને એના નિકાલ નું કામ શરૂ કર્યું પરંતુ આ કામ હજુ તો ચાલી રહ્યું છે પાલિકાએ જોડાણ નથી કર્યું એના પહેલા ગઠામણ પાટીયા રોડ પરના બિલ્ડરોએ આરએન્ડબીનો રોડ ખોદી અને ગંદા પાણીની નિકાલ માટેની પાઇપલાઇનનું વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનમાં જોડાણ કરી દીધું છે.
દંડ ફટકારાશે કે નહી તેને લઈ ચર્ચા
જોકે સામાન્ય રીતે શહેરમાં કોઈ ભૂતિયું કનેક્શન લેતો પાલિકા શહેરીજનો પાસેથી મસ્ત મોટો દંડ ફટકારતી હોય છે.ત્યારે સ્થાનિકોનો રોશ છે કે આ પ્રકારે બિલ્ડરોએ ન કરવું જોઈએ કારણ કે ગંદુ પાણી તળાવમાં જાય તો ગઠામણ ગામ અને અન્ય ખેતરના લોકોને પણ તકલીફ પહોંચે જેથી તેમની માંગ છે તે આવા બિલ્ડરો સામે કાર્યવાહી થાય અને તેમનું ગેર કાયદેસર જોડાણ દૂર કરી દેવાય.પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર જ છે કે ગેરકાયદેસર જોડાણ કર્યું છે પરંતુ તે સત્તાધીશો આ બાબતની ખબર જ નથી તેવું વર્તન કરી રહ્યા છે.
લોકો રોશે ભરાયા
અત્યારે તો આ જે બિલ્ડરે ગેરકાયદેસર રીતે જોડાણ કર્યું છે અને જેને લઈને પાલિકાના એન્જિનિયર ને તપાસ માટેના આદેશ પણ આપી દીધા છે અને જે પાઇપલાઇન નો કોન્ટ્રાક્ટર છે તેની પણ બિલ ની રકમ છે તે કાપી લેવા ની પણ તૈયારી કરી લીધી છે એટલે ગેર કાયદેસર જોડાણને બે દિવસમાં જ દૂર કરવાના આદેશ કર્યા છે સાથે સાથે પાલિકાએ નોટિસ આપી અને દંડ ફટકારવાની પણ તૈયારી કરી લીધી છે.વરસાદી પાણીની સમસ્યા ના નિકાલ માટેનું કામ હતું જે નગરપાલિકા કરી રહી હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગે તે કામ અટકાવી દીધું હતું પરંતુ હવે બિલ્ડરે માર્ગ અને મકાન વિભાગ નો રોડ તોડ્યો છે ગેરકાયદેસર રીતે રોડ તોડી અને ગેરકાયદેસર જોડાણ કર્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ આ બિલ્ડર સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે કે કેમ.









