બનાસકાંઠાના ડીસા ખાતે ફટાકડાની ગેરકાયદે ફેકટરીમાં 21 માસુમોનો ભોગ લેવાયો છે.ત્યારે આ અંગે રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે.


ટીમના વડા મહેસુલ સચિવ ભાવિન પંડયાની આગેવાની હેઠળ ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી માહીતી એકત્ર કરવા અધિકારીઓ સાથે બઠક યોજી હતી બીજી તરફ દુર્ઘટનામાં સંડોવાયેલા અને પીઠબળ આપનારાઓ સામે કડક કાર્યવાહી માટે તટસ્થ તપાસની માંગ ઉઠી છે. બનાસકાંઠાના ડીસા નજીક આવેલ ઢુવા નજીક આવેલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આમ તો ઘણીબધી ફેક્ટરી આવેલી છે.અને ડીસામાં નકલીનો કારોબાર પણ ખુબ ફાલ્યો ફુલ્યો છે.તેવામાં શીવાકાશીના લેબલવાળા ફટાકડા બનાવવાની ફેક્ટરી પણ ધમધમી રહી હતી.તેમ સુત્રોએ જણાવ્યુ છે.ત્યારે આ ફટાકડાની ફેક્ટરી ફટાકડાના સંગ્રહના નામે ચાલી રહી.અને તેમાં બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકોને બોલાવ્યા હતા.તે અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી ન હતી. આખરે 21 માસુમોના મોત સાથે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા એકબીજા પર જવાબદારી થોપી રહ્યા છે. હાલમાં તો પોલીસે પિતા પુત્ર સામે સાઅપરાધ માનવવધનો ગુનો દાખલ કરીને કોર્ટમાં રજુ કરીને તેમાં સંડોવાયલા અન્ય લોકોના નામ કઢાવવા માટે રિમાન્ડની માંગ કરી હતી. જો કે આ કેસની તપાસ હવે રાજ્ય સરકારની એસઆઈટી દ્વારા કરાઈ છે. એસઆઈટીના વડા ભાવિન પંડયા તથા નાયબ પોલીસ મહાનિર્દેશક વિશાલ વાઘેલા અને આર એન્ડબીના ચીફ એન્જીનીયર જે.એ.ગાંધી તથા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી.સંઘવીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને સ્થાનિક અધિકારીઓ પાસેથી માહીતી મેળવી હતી.

દુર્ઘટનામાં તપાસ દરમ્યાન આ મુદ્દાઓ પર તપાસ થશે

એસઆઈટીની ટીમ દ્વારા ઢુવા ખાતે જ્યાં બ્લાસ્ટ થયો હતો.તે દુર્ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.તેમાં ટીમ દ્વારા જે સ્થળે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.. તે સ્થળ ફટાકડાની બનાવટ માટે સલામત હતો કે નહી.આ અંગે જરૂરી અને નિયમો અનુસાર બાંધકામ કરેલ હતુ કે નહી તેમજ એક્સપ્લોઝીવ એક્ટ 1984 અને એક્પ્લોઝીવ રૂલ્સ ર008 મુજબની ગાઈડલાઈનનુ પાલન કરેલ હતુ કે નહી.અને પરવાનો મેળવવા માટે જે બાયલોઝ છે.તે મુજબનુ પાલન કરેલ હતુ કે નહી.તેમજ જે શ્રમિકોને બહારથી બોલાવ્યા હતા. તે અંગે પોલીસ વેરીફકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈન હતી કે નહી. ફાયર એનઓસી માટે જરૂરી નિયમોનુ પાલન કરેલ હતુ કે નહી.તેમજ સૌથી મહત્વની બાબત એ હતી કે ફેક્ટરીમાં સમયાંતરે સ્થાનિક પ્રશાસનના દરેક અલગ અલગ વિભાગ દ્વારા ચકાસણી કરાઈ હતી કે કેમ અને જો ચકાસણી દરમ્યાન ક્ષતિ જણાઈ હોય તો તે અંગે શુ પગલાં લેવામાં આવ્યા.અને સમગ્ર ઘટનામાં નિષ્કાળજી કોણે અને કઈ રીતે દાખવી વિગેરે બાબતો પર તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનુ કહેવાય છે.


  • Follow us on: