રાજકોટ-અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશનને લઇ દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો. ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી છે. કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટની અરજી ફગાવી છે. 


રાજકોટના આણંદપર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ દરગાહ છે. હાઇવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહને હટાવાઇ છે. મળતી માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર દરગાહનું ડીમોલેશનની કામગીરી તે કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી છે.

રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ નજીક આવેલી દરગાહને તોડી પાડવાના સરકારના આદેશને પડકારતી કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુધ્ધા પી.માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો. નેશનલ હાઇવે પરની આ દરગાહ હાઇવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહ હટાવવાનો માર્ગ મોકળો થતા ડીમોલેશન કર્યું હતું.


  • Follow us on: