- ધાનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા
- દિપસિંહ ભૂરીયા સાથે 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
- આપ પાર્ટીના કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હજી ગુજરાતમાંથી પસાર જ માંડ થઈ છે ત્યાં તો દાહોદ કોંગ્રેસમાં ભંગાણ પડી ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી તેના પહેલાં જ વિવાદ શરૂ થયો હતો જ્યાં ફરી નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. દાહોદ કોંગ્રેસમાંથી 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આ અંગેની માહિતી અનુસાર, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પસાર થઈ ગઈ છે. જેના વચ્ચે કોંગ્રેસમાંથી ફરી નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. જેમાં દાહોદ કોંગ્રેસમાં ધાનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. જેમાં દિપસિંહ ભૂરીયા સાથે 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

