• રખડતા ઢોર પકડાય તો 3 ગણો દંડ વસૂલાશે
  • પ્રથમ વખત રૂ. ૩૦૦૦નો દંડ વસૂલાશે
  • બીજી વખત રૂ. 4500, ત્રીજી વખત 6000નો દંડ
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે ત્યારે હવે તમામ શહેરોમાં નવી નવી રણનીતિ બનાવવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટ મનપા દ્વારા રખડતા ઢોરના માલિકો પર મસમોટો દંડ વસૂલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં જો હવે રખડતા ઢોર પકડાય તો 3 ગણો દંડ વસૂલવામાં આવશે.

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતાં ઢોરને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રખડતાં ઢોર પકડાય છે તો માલિક પાસેથી દંડની રકમ ત્રણ ગણી કરવામાં આવી છે. જેમાં પ્રથમ વખત રૂ. 3000 નો દંડ વસૂલાશે જ્યારે બીજી વખત રૂ. 4500 અને ફરીથી ત્રીજી વખત પણ જો ઢોર રખડતાં પકડાશે તો રૂ.6000 નો દંડ લેવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, વ્યક્તિગત પશુઓ રાખવા માટે પરમીશન ફરજિયાત છે. તેમજ દૂધનું વેચાણ કરી ધંધો કરનારને લાયસન્સ લેવું પડશે. જેની સાથે જ જો ઢોર રાખનાર સામે અરજી કરતા વધારે ઢોર હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

જેની સાથે જ લાંબા સમયથી રખડતાં ઢોરના ઉપદ્રવ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હવે સૌથી મોટી મુશ્કેલી રખડતાં ઢોરના માલિકો સામે જ લાવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં રખડતાં ઢોરને લઇને મનપાનો નિર્ણય છે.રખડતા ઢોર મુદ્દે દંડની રકમ ત્રણ ગણી કરાઈ છે. પ્રથમ વખત પકડાશે તો ત્રણ હજાર રૂપિયા દંડ થશે. બીજી વખત પકડાશે તો 4500 અને ત્રીજી વખત પકડાશે તો 6 હજાર દંડ થશે.
  • Follow us on:

[[$googlead]]