ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે,ખાવડાના પચ્છમ વિસ્તારમાં આવેલા સમરીવાંઢ ગામના લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે.ભર ઉનાળે સ્થાનિકોનો પાણી ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.


ગામમાં રહેલું તળાવ પણ સુકાઈ ગયું
ખાવડાના સમરીવાંઢ ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે,આ ગામના લોકોને પાણીની વિકટ સમસ્યા સામનો કરવા મજબૂર બન્યા છે, પાણી માટે ગામના લોકોનો રઝળપાટ કરવો પડે છે તો સરકાર દ્વારા નર્મદા પાણી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ અલગ છે,અગાઉ ગામના લોકો તળાવમાંથી પાણી ભરાતા હતા અને આ વર્ષે ઉનાળાનો પ્રારંભ થતા જ તળાવમાં પાણી સુકાઈ ગયું છે,સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ નર્મદાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.

પીવાના પાણી માટે ગામના લોકોને કરવો પડે છે સંઘર્ષ
જેના કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે,ગામના 400 જેટલા લોકો અને 800 જેટલું પશુધન આવેલું છે,રાજય સરકાર અહીંયા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે,જેના કારણે અહીંયા લોકોને પીવાના પાણી સમસ્યાનો સામનો કરી રહયા છે,ખાવડા વિસ્તારના આવેલા અન્ય ગામોમાં કેવી છે પાણી સમસ્યા તે જાણવા માટે સંદેશ ન્યૂઝની ટિમ નાના રતાડીયા અને મોટા રતાડીયા ગામમાં પહોંચી,અહીંયા પણ ગામમાં પાણી વિકટ સમસ્યા જોવા મળી,અહિયાં આવેલા ખાવડા વિસ્તારનો જીવાદારી સમાન બાંડી ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે આસપાસ ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા છે.

આજ દિન સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ કરાયું નથી
નાના રતાડીયા અને મોટા રતાડીયા ગામના સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચે પાણીની ટાંકા બનાવ્યા છે,ગામમાં આવેલા પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે,કારણ કે નર્મદાનું પાણી અહીંયા પહોંચ્યું નથી જેના કારણે પશુઓ માટે બનાવામાં આવેલા અવાડા અને પાણીના ટાંકા શોભના ગાઢિયા સમાન સાબિત થયા છે,સરકાર અહીંયા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે,ગામના લોકોનું કહેવું છે મહિનામાં એક થી બે વાર ટેન્કર આવે છે જેમાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી,પરિણામે ગામના લોકો બાંડી ડેમમાંથી પાણી પીવાનો વારો આવ્યો છે,પાણીની સમસ્યા અંગે અનેકવાર પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરી છે તેમછતાં પણ પાણીની સમસ્યા આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.ખાવડાના પચ્છમ વિસ્તારમાં 15 જેટલી ગ્રામપંચાયત આવેલી છે,આ વિસ્તારમાં 40,000 જેટલી માનવ વસ્તી છે,જ્યારે 70,000 જેટલું પશુધન આવેલું છે,ઉનાળાની શરૂઆત સાથેજ અહિયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે,આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બને તેવા તેવું લાગી રહ્યું છે.
 
  • Follow us on: