પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મહેસાણા-પાલનપુર સેક્શનના દ્દોહરીકરણના સંબંધમાં સિદ્ધપુર સ્ટેશન પર ક્રૉસઓવરના શિફ્ટીંગ કામને કારણે કેટલીક ટ્રેનો સિદ્ધુપર સ્ટેશન પર નહીં રોકાય. રેલવે યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા આરંભ કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


નીચે જણાવેલી ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

1. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 79438 આબૂરોડ-મહેસાણા ડેમૂ

2. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-સાબરમતી એક્સપ્રેસ

3. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ

4. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ

5. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ

6. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ

7. 27 મે 2025 ની ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા અઠવાડિક એક્સપ્રેસ

8. 27 મે 2025 ની ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ અઠવાડિક એક્સપ્રેસ

9. 29 મે 2025 ની ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ


  • Follow us on: