- મોદી સાહેબે દ્વારકા આવીને કર્યું દ્રારકા બ્રિજનું ઉદ્ધાટન
- મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો
- દરિયામાં ઉતરી ભગવાન કૃષ્ણની નગરીને પીએમએ નિહાળી
દ્વારકામાં આજે સી.આર.પાટીલે એક કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં તેઓએ વિકાસની રાજનીતિને મહત્ત્વ આપ્યું હતું અને સાથે જ પીએમ મોદીએ કરેલા કામોને પણ ગણાવ્યા હતા. તો જાણો આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે શું કહ્યું.
વિકાસના કામોને પાટીલે ગણાવ્યા
કાર્યક્રમમાં સી.આર.પાટીલે મોદી સરકારે કરેલા વિકાસને ગણાવ્યો. તેઓએ કહ્યું કે પીએમએ રાજકોટને એઈમ્સની ભેટ આપી છે. આ સાથે મોદી સાહેબે દ્વારકા આવીને દ્રારકા બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. તેઓએ સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો છે. આ સાથે જ તેઓએ અહીં દરિયામાં ઉતરી ભગવાન કૃષ્ણની નગરીને પીએમએ નિહાળી હતી.
કોંગ્રેસે અધૂરા મૂકેલા કામો અમે પૂરા કર્યાઃ પાટીલ
તેઓએ કાર્યક્રમમાં કહયું કે વિકાસની લોકોની અપેક્ષાઓ અમે પૂરી કરી છે. મોદીસાહેબે રાજકોટને એઇમ્સની ભેટ આપી છે. આ સિવાય દરેક પ્રકારની કનેક્ટિવિટી મોદી સાહેબે ઉભી કરી છે. તેઓએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ કરી ઇતિહાસ રચ્યો છે.









