- મનપાઓમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના ભરોશે
- રાજ્યની 8 મનપામાંથી 6 મનપામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર
- માત્ર એક જ મનપામાં કાયમી ફાયર ઓફિસર કાર્યરત
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં છે. જેમાં મનપાઓમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના ભરોશે. તેમાં રાજ્યની 8 મનપામાંથી 6 મનપામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર છે. તેમજ માત્ર એક જ મનપામાં કાયમી ફાયર ઓફિસર કાર્યરત છે. જેમાં કાયમી ચીફ ફાયર ઓફિસરની નિયુક્તીમાં ઉદાસિનતા જોવા મળી છે.
અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ પોસ્ટ પર
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ પોસ્ટ પર છે. ઇન્ચાર્જ ફાયર અધિકારી સામે પણ તપાસ ચાલી રહી છે. તથા ગાંધીનગરમાં પણ ચીફ ફાયર અધિકારી ઇન્ચાર્જ પોસ્ટમાં છે. ગાંધીનગર મનપામા 2021થી ચીફ ફાયર ઓફિસર ચાર્જમાં છે. તેમાં સુરતમાં ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ પોસ્ટમાં છે. તથા સુરત મનપામાં એક પણ ડેપ્યુટી ફાયર અધિકારી નથી. તેમજ વડોદરામાં પણ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે. તેમજ ભાવનગરમાં ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ પોસ્ટ પર છે. જેમાં સપ્ટેમ્બર 2006થી ફાયર અધિકારી ઇન્ચાર્જ પોસ્ટ પર છે.
જામનગરમાં કાયમી ચીફ ફાયર ઓફિસર છે
જામનગરમાં કાયમી ચીફ ફાયર ઓફિસર છે. તથા રાજકોટમાં ચીફ ફાયર અધિકારી બેદરકારીના કેસમાં જેલમાં છે. તેમજ જૂનાગઢ મનપામાં ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટેશન પર છે. તાજેતરમાં જ રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટેલ પાસે બનેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેમાં બાળકો સહિત 28 લોકો ભડથું થઈ જતા અરેરાટી મચી જવા પામી હતી. મૃતકોની ઓળખ થાય તેમ ન હોવાથી તેઓના ડીએનએના આધારે મૃતકની ઓળખ કરવામાં આવી હતી.









