- ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી
- આહિર યુવાનનુ મૃત્યુ થતા પરિવારને સાંત્વના પાઠવી
- લગાન ફિલ્મ સમયે શુટીંગ માટે રોકાયા હતા
ફિલ્મ અભિનેતા આમિરખાન કચ્છની મુલાકાતે છે. જેમાં ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી છે. આહિર યુવાનનુ મૃત્યુ થતા પરિવારને સાંત્વના પાઠવી છે. અકસ્માતમાં મહાવીર ચાડનુ મોત થયું હતું. તેમજ લગાન ફિલ્મ સમયે શુટીંગ માટે આમિરખાન કચ્છ રોકાયા હતા.
ફિલ્મ અભિનેતા આમીરખાન કચ્છ આવ્યા
ફિલ્મ અભિનેતા આમીરખાન કચ્છ આવ્યા છે. જેમાં ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી છે. કોટાય ગામના આહિર યુવાનનુ તાજેતરમાં મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન આવ્યા છે. અકસ્માતમાં મહાવીર ચાડનું મોત થયું હતુ. લગાન ફિલ્મ સમયે આ વિસ્તારમાં આમીરખાન લાંબો સમય શુટીંગ માટે રોકાયા હતા. લગાન ફિલ્મના શૂટીંગ સમયથી મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સબંધ હતા. વર્ષો બાદ પણ આમિરખાને મિત્રતા નિભાવી હતી અને કચ્છ પહોંચ્યા છે.









