• સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું
  • ભગવાન શ્રી રામના ભક્તો પહોંચ્યા સાબરમતી સ્ટેશન
  • મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો રહ્યા હાજર
દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. જેમાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આજે ભક્તો સાથે પ્રથમ આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. જેના સાથે જ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.

આજે સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું છે. ભગવાન શ્રી રામના ભક્તો સાબરમતી સ્ટેશન પહોંચ્યા છે. મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રીએ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમજ લોકો ઢોલ નગારાના નાદ સાથે ભક્તો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. 

અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે.

નવા પ્રસ્તાવ હેઠળ આસ્થા ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2024થી દોડાવવાની છે. પહેલા બે દિવસમાં લગભગ 5 લાખ લોકોએ રામ મંદિરના દર્શન કર્યા છે. આ ટ્રેન માત્ર સ્લીપર કોચ ટ્રેન હશે, તમામ કોચ નોન એસી અને સ્લીપર હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટના ભાવમાં શાકાહારી ભોજન, ધાબળા અને તકિયા આપવામાં આવશે.
  • Follow us on:

[[$googlead]]