રાજ્ય સરકાર દ્વારા નોમિનેશનથી, સિલેક્શન પ્રક્રિયાથી તથા યુપીએસપી એક્ઝામ ક્લિયર કરીને સીધી ભરતીથી એમ ત્રણ રીતે આઇએએસ થવાય, જે પૈકી ગુજરાત સરકારે સિલેક્શનથી સ્ટેટ કેડરમાં 2 આઇએએસની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
અત્યાર સુધી સિલેક્શન પદ્ધતિમાં 100 માર્કની ટેસ્ટ જેનું 50 ટકા વેઇટેજ અને પાંચ વર્ષના સીઆરનું 50 ટકા વેઇટેજ અને બાદમાં યુપીએસસી ઇન્ટરવ્યૂ પછી નિમણૂક થતી હતી. હવે પ્રોસેસ બદલાઈ છે, જેમાં હવે નિબંધ ટેસ્ટ, જેનું વેઇટેજ 30 ટકા તથા ગ્રૂપ ડિસ્ક્શનનું વેઇટેજ 70 ટકા અને બાદમાં યુપીએસસી દ્વારા નિમણૂક અપાશે. આ વર્ષે સિલેક્શનથી આઇએએસ બનવા માટે ઓછામાં ઓછા 8 વર્ષ ક્લાસ-વન-ડેપ્યુટી કલેક્ટર તથા તેની સમકક્ષ હોદ્દે રહ્યાં હોય અને ઉંમરની પાત્રતામાં આવતા હોય તેવા 140 અધિકારીઓ માટે નિબંધ લેખન ટેસ્ટ તથા ગ્રૂપ ડિસ્ક્શનની પ્રક્રિયા આવતીકાલ શુક્રવારે ગાંધીનગરમાં યોજાશે અને એમાંથી તારવી કઢાયેલા અધિકારીઓ યુપીએસસીની પ્રક્રિયામાં જશે.










