વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. તેઓ આજે સવારે વડોદરા ખાતે આવ્યા હતાં અને ત્યાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ તેઓ દાહોદ પહોંચ્યા હતાં અને કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તે પછી તેઓ ભુજ પહોંચ્યા હતાં અને ત્યાં પણ ભવ્ય રોડ શો યોજી જાહેર સભાને સંબોધી હતી. ભુજથી અમદાવાદ આવી તેમણે પાવર પેક રોડ શો કર્યો હતો.


વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

આવતીકાલે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆત પણ રોડ શોથી થશે. ગાંધીનગરમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી તેમનો રોડ શો યોજાશે. મોટી સંખ્યામાં સ્થાનિકો રોડ શોમાં જોડાશે. તેઓ મહાત્મા મંદિરથી 5536 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરશે. 22,055 આવાસોનું લોકાર્પણ અને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે. મ્યુનિસિપલ સંસ્થાઓને 3300 કરોડના ચેક વિતરણ થશે.

થરાદ-ધાનેરા પાઈપલાઈન કામોનું ખાતમૂહૂર્ત કરશે

આ ઉપરાંત વડાપ્રધાન થરાદ-ધાનેરા પાઈપલાઈન કામોનું ખાતમૂહૂર્ત કરશે. દિયોદર-લાખણી પાઈપલાઈનનું ખાતમૂહૂર્ત કરશે. તે ઉપરાંત જળ સંસાધન વિભાગના 1566 કરોડના કામોનું ખાતમૂહૂર્ત કરશે. યુએન મહેતા હોસ્પિટલના સેન્ટરનું પણ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તાજેતરમાં વિજય થયેલા લોકસેવકો પણ ઉપસ્થિત રહેશે.


  • Follow us on: