- રાજકોટના 2 યુવકને ગોંધી રાખી માર્યો હતો માર
- તાલાલા પોલીસે માત્ર એનસી ગુનો નોંધ્યો હતો
- યુવકોએ તાલાલા કોર્ટમાં ફરિયાદ કરતા આદેશ
વનવિભાગના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં તાલાલા કોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો છે. રાજકોટના 2 યુવકને ગોંધી રાખી માર માર્યો હતો. તેમાં તાલાલા પોલીસે માત્ર એનસી ગુનો નોંધ્યો હતો. યુવકોએ તાલાલા કોર્ટમાં ફરિયાદ કરતા આદેશ આપવામાં આવ્યો છે. તેમાં પી.કે.વાળા, પ્રવીણ બાકૂ, અરવિંદ બારિયા સામે આદેશ છે.
રાજકોટના 2 યુવકોને ગેરકાયદેસર ગોંધી રાખી માર માર્યો
ગીર સોમનાથમાં તાલાલા કોર્ટે વન વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવા હુકમ કર્યો છે. જેમાં રાજકોટના 2 યુવકોને ગેરકાયદેસર ગોંધી રાખી માર માર્યો હતો. તેમાં ગત 11 ડિસેમ્બરના આ બનાવ બન્યો હતો. જેમાં તાલાલા પોલીસે વન કર્મીઓ વિરુદ્ધ માત્ર એન.સી.ગુન્હો નોંધેલ હતો. તેથી ભોગ બનનાર યુવકોએ તાલાલા કોર્ટમાં ફરિયાદ નોંધાવેલ હતી. તાલાલા કોર્ટે પુરાવા આધારે વન કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવા આદેશ કર્યો છે. તેમાં ફોરેસ્ટર પી.કે.વાળા, ફોરેસ્ટ ગાર્ડ પ્રવીણ બાકૂ અને વનમિત્ર અરવિંદ બારીયા વિરુદ્ધ આદેશ આપવામાં આવ્યો છે.
તાલાલા પોલીસ ને 323,506(2), અને 114 મુજબ ગુન્હો નોંધવા આદેશ
તાલાલા પોલીસ ને 323,506(2), અને 114 મુજબ ગુન્હો નોંધવા આદેશ છે. તેથી તાલાલા કોર્ટના હુકમના પગલે વન વિભાગના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે. જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે વનવિભાગના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ બન્ને મીલીભગત થઇ છે. જેમાં બે યુવકોને માર માર્યો ત્યારે પોલીસ કર્મચારીઓએ મામલાને દબાવવા પ્રયાસ કર્યો હતો તથા બે યુવકો ફરિયાદ કરવા આવ્યા તો પણ માત્ર અરજી લઇ તેમને રવાના કરી દિધા હતા. જેમાં યુવકોને ન્યાયપાલિક પર ભરોસો હોવાથી તેઓએ કાર્ટના દ્વાર ખખડાવ્યા હતા તેથી તેમને હવે ન્યાય મળશે તેવી આશા જાગી છે.









