વલસાડ સહિત ગુજરાતમાં આત્મહત્યાઓના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. અગમ્ય કારણોસર લોકો મોતને વહાલુ કરી લીધા હોવાની ઘટનાઓ રોજ સામે આવે છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડામાંથી વધુ આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સગીરાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.એ અગાઉ પણ કપરાડામાં આવી જ એક ઘટના બની હતી.


વધુ એક સગીરાએ કર્યો આપઘાત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના કપરાડામાં સગીરાઓના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તો આજે વધુ એક સગીરાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. કપરાડાના અસ્ટોલ ગામના છેવાડે જંગલ વિસ્તારમાં એક સગીરાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગળે ફાંસો ખાધેલી હાલતમાં સગીરા મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. તો ઘટનાને નજર સામે જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

કપરાડાના અસ્ટોલ ગામના છેવાડાના જંગલમાં સગીરાનો મૃતદેહ મળી આવતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં નાના પોંઢા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી,જે પછી તેમણે મૃતદેહને કબજે કરીને વધુની તપાસ હાથ ધરી હતી. સગીરાએ કેમ આપઘાત કર્યો છે તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળ્યું છે. 31 મેના રોજ પણ કપરાડાના વારણા ગામમાં એક સાથે 2 સગીરાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. 2 દિવસમાં જ 3 સગીરાઓના કમોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

  • Follow us on: