• પંચમહાલના સંતો અને મહંતોનું કલેક્ટરને આવેદન

  • કેટલાક તત્વો દ્વારા સનાતન ધર્મની લાગણી દુભાવાના પ્રયાસ
  • વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણી અને ઠેસ પહોંચાડી વ્લાગણી દુભાય તેવી માનસિકતાથી આ ફ્લ્મિ બનાવવામાં આવી છે

અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ આજ રોજ પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાંથી વડીલ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ફ્લ્મિ નિર્માતા યશરાજની મહારાજ ફ્લ્મિ કોઈ પણ સંજોગો માં રીલિઝ ના થાય અને હાઇકોર્ટ કાયમી તેનો પ્રતિબંધ લગાવે તેવી માંગ સાથે એડિશનલ કલેક્ટર ને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું.

જેમાં વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને લાંછન રૂપ અને હંમેશા સનાતન ધર્મને નીચું દેખાડવા માટે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીઝના અમુક મુખ્યાઓ જેવા કે અમીરખાન. શાહરુખ ખાન અને હાલમાં આમીરખાનના દીકરા જુનેદખાન દ્વારા મહારાજા ફ્લ્મિો બનાવી છે. અને આ મહારાજા ફ્લ્મિ એવી પારદર્શિકા કરે છે કે હિન્દુ સમાજને લાગણી દુભાઈ રહી છે. પદ્માવતી, પીકે જેવી અનેક ફ્લ્મિો રજુ કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાવી છે અને જો આ જ રીતે ફ્લ્મિ બનાવતા રહેશે ત્યારે તમામ સંતો ગૌરક્ષકો તમામ લોકો બહાર આવી તેનો વિરોધ કરશે.

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના પૂજ્ય ઇન્દ્રજીત મહારાજ. પૂજ્ય વિક્રમદાસ અને પૂજ્ય પ્રેમ દાસજી મહારાજ ની સાથે 15 જેટલા સંતો જોડાયા હતા.

ગોધરામાં વૈષ્ણવ પરિષદ અને વૈષ્ણવ સંપ્રદાયનું કલેકટરને આવેદનપત્ર

ગોધરામાં આંતરરાષ્ટ્રીય પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદનાં માર્ગદર્શન હેઠળ ગોધરા વૈષ્ણવ સંપ્રદાય સમાજ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને ઉદેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફ્ત આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ટીવી ચેનલ પર રીલીઝ થનાર ફીલ્મ મહારાજ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. આ ફીલ્મ એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાય (હિન્દુ બનીયા), વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય, તેમજ સનાતન હિન્દુ ધર્મના આચાર્ય, ગુરૂ,સંત-મહંતોનુ પાત્ર દર્શાવીને સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરી વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણી અને ઠેસ પહોંચાડી વ્લાગણી દુભાય તેવી માનસિકતાથી આ ફ્લ્મિ બનાવવામાં આવી છે. તેના પર ત્વરીત પ્રતિબંધ મુકવા માંગ કરી છે.


  • Follow us on: