• 7 હજાર જેટલા સ્માર્ટ મીટર જાણ કર્યા વિના ઠોકી બેસાડયા

  • સ્માર્ટ મીટરમા 15 થી 20 દિવસ મા 2 હજાર જેટલું બિલ આવે છે
  • સ્માર્ટ મીટર ના ફ્ક્ત ગેરફયદા છે કોઈ પણ ફયદા નથી.

ગોધરા શહેર થી સ્માર્ટ મીટર રદ કરોની માંગ આજે સમગ્ર ગુજરાતમાં માંગ ઉઠી છે. ત્યારે આજરોજ MGVCL કચેરી ગોધરા ખાતે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ વિરૂદ્ધ શહેરના જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ માંગ કરવામાં આવી કે અમને કોઈપણ પ્રકારે સ્માર્ટ મીટર પોસાય તેમ નથી સ્માર્ટ મીટર ના ફ્ક્ત ગેરફયદા છે કોઈ પણ ફયદા નથી.

ગોધરા શહેર મા 7 હજાર જેટલા સ્માર્ટ મીટર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ઠોકી બેસાડયા છે અને તેમાં પણ અમુક લોકો ને દંડ થસે, કેસ થસે તેવી ખોટી ધાક ધમકી આપી ને સ્માર્ટ મીટર લગાવ્યા છે. તેવા લોકો દ્વારા આક્ષેપ પણ ઉઠયા છે. ત્યારે જે લોકોનું જૂના મીટરનું બે મહિનાનું બિલ બે થી અઢી હજાર આવતું હતું તેમનું સ્માર્ટ મીટર મા 15 થી 20 દિવસ મા 2 હજાર જેટલું બિલ આવે છે તેવો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો. મુખ્ય વાત કે જૂના મીટરમા બે મહિના વીજળી વાપરવા મળતી હતી ત્યાર બાદ જે બિલ આવે તે ભરતા હતા અને લોકોને પોસાતું પણ હતું. જો કદાચ પૈસાની વ્યવસ્થા ન હોય તો કંઈ વ્યવસ્થા કરીને પણ બિલ ભરતા હતા. ત્યારે આ સ્માર્ટ મીટર મા પેહલા રીચાજી કરવું પડે છે ત્યાર બાદ જ વીજળી વાપરી શકાય છે. હાલ ના સમય માં પણ અમુક લોકો પાસે સ્માર્ટ ફોન નથી અને અમુક લોકો પાસે છે. પણ તેનો સંપૂર્ણ વપરાશ કરતા આવડતું નથી. ત્યારે આ સ્માર્ટ મીટરનું રીચાજી કઈ રીતે કરવું કેટલા યુનિટ વપરાયા કેટલું બેલેન્સ છે. આવી બધી બાબતો ચોક્કસ પણે અમુક લોકો જાણી શકતા નથી. વડોદરા મા ભાડે રહેતા એક યુવક ને રૂ.9 લાખનુ બિલ આવ્યું અને તે ચિંતામા ગરકાવ થઈ ગયા હતો. આમ ગોધરા શહેરમાં 7 હજાર સ્માર્ટ મીટર લાગેલા છે. તે મોટાભાગના લોકો મજૂરી કરે છે અને નગર પાલિકા મા કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરતા લોકો પણ છે જેમનો પગાર 3થી 4 મહિને થાય છે. ત્યારે આ તમામ પ્રકાર ની સમસ્યા થી પીડિત લોકો જાય તો જાય ક્યાં અને ગુજરાતની જાહેર જનતાને સાચવવવાની જવાબદારી સરકારની છે. ત્યારે ગુજરાતની જાહેર જનતા વતી ગોધરા શહેરના આશિષ કામદાર, સંજય ટહેલ્યાણી, આશિષ પટેલ, અમિતાબેન ભટ્ટ જેવા અન્ય સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરી જૂના મીટર ફરી થી લગાવી આપે તેવી માંગ કરતા ગોધરા એમજીવીસીએલ ખાતે આવેદન પત્ર આપ્યું હતું. અને એમજીવીસીએલ તેમજ સરકાર ને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેમાં આ જાહેર જનતાની લાગણી અને માંગણીનો સરકાર અને MGVCL ત્વરિત સ્વીકાર કરવામાં નહી આવે તો ગુજરાતની જનતા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી


  • Follow us on: