- અમદાવાદ જિલ્લા અને તાલુકામાં 11 કંટ્રોલરૂમ કાર્યરત
- અમદાવાદ જિલ્લામાં 20 સારવાર કેન્દ્રો પર ઊભા કરાયા
- 2630 વોલેન્ટીયર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે કામગીરી કરશે
ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થતા પક્ષીઓ માટે રાજ્યસરકારના કરુણા અભિયાનનો આજથી પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજથી ઘાયલ પશુઓની સારવાર મળી રહે તે હેતુ સાથે કરુણા અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો છે. જે આગામી એક વિક સુધી કરુણા અભિયાન થકી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કામ કરશે. ત્યારે કેવી રીતે આખુ કરુણા અભિયાન કામ કરશે જોઈએ.









