• આવતીકાલથી રાજયમાં ગરમીનું યલો એલર્ટ
  • ગરમીની સાથે ભારે પવનનો પણ ફૂંકાશે
  • 27 મેના રોજથી રાજયમાં તાપમાન ઘટશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે તેની વચ્ચે અમદાવાદના હવામાન વિભાગે આગાહી કરી છે કે,અગામી 5 દિવસ સુધી ગરમીથી કોઈ રાહત નહી મળે તો 27 મે ના રોજ રાજયના તાપમાનમાં સામન્ય ઘટાડો જોવા મળશે.

ગુજરાતમાં કયા અપાયું ઓરેન્જ એલર્ટ

[[$googlead]]

બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા,અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર,ભાવનગર, બોટાદ, આણંદ,વડોદરા અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે,આવતીકાલથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે તો ગરમીની સાથે સાથે ગરમ પવનનો પણ સામનો કરવાનો રહેશે.

[[$alsoread]]

ગુજરાતમાં કયા અપાયું યલો એલર્ટ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.


કામ વિના બહાર નિકળવાનું ટાળો

ગઈકાલે રાત્રે પણ લઘુતમ તાપમાન 27-28 ડિગ્રી સેલ્યિયસની આસપાસ રહ્યું હતું. તેમ છતાં હજુ પણ આજે અને આવતીકાલના દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, આથી બપોરના સમયે ગરમીમાં બહાર ન ફરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ રહેશે, કારણ કે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ શહેરની ગરમીએ 2 લોકોનો ભોગ લીધો છે.


રાત્રે લઘુતમ તાપમાન 30થી 33 ડિગ્રી રહેશે

ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઈને સાંજે 7 વાગ્યે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવાશે. રાત્રે 9 વાગ્યા સુધી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ થયા બાદ રાત્રે 11 વાગ્યે એમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. આજે રાત્રે પણ ગરમીનો અહેસાસ થોડા અંશે ઘટતો હોય એમ શહેરીજનો અનુભવશે. રાત્રિ દરમિયાન પણ લઘુતમ તાપમાન 30થી 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

  • Follow us on: