- રથયાત્રા પહેલા મંદિરમાં યોજાશે 7 જૂને જળયાત્રા
- જગન્નાથ મંદિરમાં ઉપરણા બનાવવાનું શરૂ
- રથયાત્રામાં પ્રસાદ તરીકે અપાય છે ઉપરણા
ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. આ ભવ્ય યાત્રામાં લાખો લોકોની ભીડ એકઠી થાય છે. આ યાત્રા મુખ્યત્વે અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે એટલે કે બીજે આ રથયાત્રા કાઢવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ વર્ષે જગન્નાથ રથયાત્રા ક્યારે નીકળશે.

આ દિવસથી શરૂ થાય છે

હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ 07 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તારીખ 08 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:59 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર, જગન્નાથ રથયાત્રા 2024 7મી જુલાઈએ થશે જ્યારે ભક્તોને દર્શન દેવા જગતનો નાથ ખુદ મંદિર છોડી બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે રથયાત્રામાં વાજતે ગાજતે નીકળશે

ભક્તોમાં અનોખો ઉત્સાહ
રથયાત્રા પહેલા મંદિરમાં યોજાશે 7 જૂને જળયાત્રા કાઢવામાં આવશે. હાલ તો પ્રસિદ્ધ રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરમાં ઉપરણા બનાવવાનું શરૂ થઇ ગયુ છે. રથયાત્રામાં પ્રસાદ તરીકે અપાય છે ઉપરણા. ઉપરણાનો પ્રસાદ મેળવવા ભક્તો રહે છે આતુર. જળયાત્રાથી ભક્તોને અપાય છે ઉપરણાનો પ્રસાદ. જગન્નાથજીની જળયાત્રાને લઈ મંદિરે શરૂ કરી તૈયારીઓ.









