- મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માગ
- જયેશ રાદડિયાને મેન્ડેટ હતું નહી તેમ છતા તે લડયા છે
- સહકારી સંસ્થાઓમાં ચાલતા ઇલુ - ઇલુની વાત સાચી
ઈફ્કોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે આ સમયે મેન્ડેટ વિરુદ્ધ જનારાને લઈને કાર્યવાહી શા માટે નથી થતી તેને લઈને બાબુભાઈએ રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટ ભાજપના નેતા અને સહકારી આગેવાન બાબુ નસીતનો મોટો આક્ષેપ છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો છે. આ સાથે તેઓએ આ અંગે તપાસની પણ માંગ કરી છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભડકો જોવા મળી રહ્યો છે. ભષ્ટ્રાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે, સહકારી સંસ્થામાં પાટીલ સાહેબ યોગ્ય તપાસ કરે, જયેશ રાદડિયાને મેન્ડેટ હતું નહી તેમ છતા તે લડયા છે.તેઓે એમ પણ કહ્યું કે મારી લડાઈ ડેરીના ભષ્ટ્રાચાર સામે હતી. મેન્ડેટનો અમલ ઈફ્કોમાં કેમ નહી. કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોએ ભષ્ટ્રાચાર કર્યો.
આ સિવાય શું કરી માંગ
બાબુભાઈએ કહ્યું કે મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ કરી છે. લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો એમ પણ કહ્યું છે. તેઓએ રાદડિયાને નિશાન બનાવતા કહ્યું કે મેન્ડેટ વિરુદ્ધ લડનાર રાદડિયા સામે પગલા લો. મેં હાઈકોર્ટમાં આ મુદ્દે પિટીશન કરી હતી એમ પણ કહ્યું હતું.
સહકારી સંસ્થાઓમાં યોગ્ય તપાસ કરે પાટીલ સાહેબ
બાબુભાઈએ એમ પણ કહ્યું કે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લીધા નથી. સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરો તે જરૂરી છે. ભ્રષ્ટાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે. પાટીલ સાહેબ હવે બચેલા ઇલુ - ઇલુને તોડવાનું કામ કરે. જ્યાં ગેરરીતિ થઈ ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમુક અમુક સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેમ બાબુભાઇએ કહ્યું છે. મોટા આગેવાનો સામે શા માટે કાર્યવાહી નહી?









