[[$googlead]]
મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ સચિવ અને અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગેની વિગત મુદ્દે ચર્ચા થઇ હતી. તેમાં ઉમેદવારોના આંદોલનની અસર દેખાઈ છે. જેમાં મુખ્યમંત્રી દ્રારા શિક્ષકોની ભરતીને લઈ બેઠક બોલાવાઈ હતી. કેટલી જગ્યાઓ ખાલી છે? કયારે કેટલી ભરતી થઈ તેની માહિતી સાથે અધિકારીઓ હાજર થયા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં હતા ત્યારે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ત્યારે ગઇકાલે TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગઇકાલે ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.
  • Follow us on: