ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે આજે ઉમેદવારો માટે મહત્વની જાહેરાતો કરી છે. GPSC ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે કોલેજ કે સમકક્ષ સંસ્થાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે. બોર્ડની મિટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્રારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના ત્રણ નિર્ણય લીધા આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી માહિતી આપી છે. પ્રથમ નિર્ણય એ છે કે અનુભવ જરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ અરજી કરી શકશે.
GPSCની ભરતીને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે GPSCની ભરતીમાં તક મળશે. આ સાથે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારને GPSCની ભરતી માટે હવે સુનેરી તક મળશે. GPSCની ભરતી માટે અનુભવ જરુરી ન હોય તેવી ભરતીઓમાં પણ તક મળશે. ફીઝીયોથેરાપી લેક્ચરરની ભરતીમાં રજૂઆત બાદ GPSC બોર્ડની બેઠકમાં મહત્વ પુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
GPSC ના ચેરમેન હસમુખ પટેલે મીડિયા સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, અનુભવની જરૂર ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે. લેક્ચરર ફિઝીયોથેરાપીની ચાલુ ભરતીમાં રજૂઆત બાદ નિર્ણય લેવાયો છે. છેલ્લા વર્ષની વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી કે તેમને તક આપવામાં આવે. ફિઝીયોથેરાપીની અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓને પણ તક આપવાનો નિર્ણય લેવાયો છે. આયોગની ભરતીમાં અનુભવની જરૂર ન હોય તો કોલેજમાં અંતિમ પરિક્ષામાં અભ્યાસ કરતા ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળશે.
GPSCની ભરતીને લઇ મહત્વનો નિર્ણય
- કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે તક
- અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારને મળશે તક
- GPSC બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
- અનુભવ જરુરી ન હોય તેવી ભરતીઓમાં મળશે તક
- ફીઝીયોથેરાપી લેક્ચરરની ભરતીમાં રજૂઆત બાદ નિર્ણય
આ સાથે જ તજજ્ઞોની ફી બમણી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. GPSC માં પેપર સેટ કરતા તજજ્ઞોની ફી બમણી કરવામાં આવશે. પરીક્ષાની દ્રષ્ટીએ ઉમેદવારોના ફાયદાની સાથે પરીક્ષકના મહેનતાણામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે આયોગમાં પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ભૂખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખીને મહત્વની જાહેરાત કરી છે.