- અમદાવાદના ગાયકવાડ વિસ્તારમાં વિધર્મીનુ કારસ્તાન
- સગીરાને ફોસલાવી બહાર લઈ ગયો અને દુષ્કર્મ આચર્યુ
- પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ
વિધર્મી યુવકે સગીરા સાથે મિત્રતા કેળવી તેનુ અપરણ કરી અમદાવાદની બહાર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.જે અંગે સગીરાએ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે આ વિધર્મી યુવકે અન્ય કોઈ યુવતી કે સગીરા સાથે આવુ નથી કર્યુ ને તેને લઈ તેની પૂછપરછ કરાઈ રહી છે.
આ યુવકનું નામ અકીલ જાકીરભાઇ મલેક
ગાયકવાડ હવેલી પોલીસની કસ્ટડીમાં રહેલા યુવકનું નામ અકીલ જાકીરભાઇ મલેક છે.20 વર્ષીય અકીલ ઘોડાગાડી ચલાવવાનું કામ કરે છે. અને છેલ્લા ચારેક મહિનાથી 15 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી હતી.અને તે મિત્રતાના આધારે સગીરાનું અમદાવાદથી અપહરણ કરી અમદાવાદની બહાર લઈ ગયો હતો.જ્યાં તેની સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જોકે યુવક પાસેથી નિકળી સગીરા પરિવારને મળી હતી જયાં તેણે વિધર્મીએ કરેલી કરતૂતની જાણ કરી હતી જેથી પરિવારે અકીલ મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

અમદાવાદ બહાર લઈ ગયો વિધર્મી
અકીલ મલેકની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, અકીલ સગીરાને અમદાવાદથી રીક્ષામાં બેસાડી અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનમાં ફેરવી અમદાવાદની બહાર લઈ ગયો હતો.30 જુલાઈના રોજ અકીલે સગીરાનું અપહરણ કર્યું હતું જે બાદ સગીરા પહેલી તારીખે વિધર્મી યુવક પાસેથી છૂટી અમદાવાદ તેના પરિવારને મળી હતી જે બાદ ત્રણ તારીખે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી સગીરાનુ મેડિકલ પરીક્ષણ કરાવી વિધર્મી યુવક વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે.
સગીરાઓ ફસાય નહી આવા યુવકો સાથે
મહત્વનું છે કે સગીરાઓની છેડતી અને બળાત્કારના કિસ્સાઓમાં પરિચિત અથવા પરિવારના લોકોની સંડોવણી સામે આવે છે.ત્યારે અજાણ્યા અને અપરિચિતોથી પોતાની રક્ષા કરતી સગીરાઓ પરિચિતોની હવસથી કેવી રીતે બચી શકશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે.તો સગીર વયની છોકરીઓએ ખાસ સોશિયલ મિડીયામાં પણ અજાણ્યા વ્યકિત સાથે વાત કરવી ના જોઈએ,હાલ સોશિયલ મિડીયામાં સંપર્કમાં આવી લોકો આવી ઘટનાઓનો પણ ભોગ બનતા હોય છે અને પોલીસ ચોપડે ગુના નોંધાતા હોય છે.









