પાકિસ્તાને શનિવારે સવારે ભારતના ઘણા ભાગોમાં ડ્રોનથી હુમલો કર્યો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સ્થિત એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન, પાકિસ્તાની ડ્રોનના કાટમાળથી અથડાતા ફરજ પર તૈનાત એક સૈનિક શહીદ થયા છે.
ડ્રોનથી હુમલો થયો તેમાં કાટમાળ પડયો
શનિવારે સવારે પાકિસ્તાને ભારતના અનેક ભાગોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સ્થિત એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતીય સેના અને સંરક્ષણ પ્રણાલીએ દુશ્મનના ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. આ દરમિયાન, એરફોર્સ સ્ટેશન પર ફરજ પર તૈનાત એક સૈનિક પાકિસ્તાની ડ્રોનના ટુકડાથી અથડાતા શહીદ થયો હતો.
શહીદ મૂળ રાજસ્થાનના
શહીદ સૈનિકનું નામ સુરેન્દ્ર સિંહ મોગા છે. તે રાજસ્થાનના ઝુનઝુનુનો રહેવાસી હતો અને હાલમાં ઉધમપુર એરફોર્સ સ્ટેશન પર ફરજ પર હતો, જ્યાં આજે સવારે પાકિસ્તાની ડ્રોને હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ડ્રોનને હવામાં સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું. પરંતુ તેના કાટમાળથી અથડાયા બાદ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ શહીદ સૈનિકને શ્રદ્ધાંજલિ આપી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શહીદ સૈનિકને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે પોતાના 'X' પર એક પોસ્ટમાં લખ્યું, 'રાજસ્થાનના પુત્ર, ઝુનઝુનુ નિવાસી, ભારતીય સેનાના સૈનિક સુરેન્દ્ર સિંહ મોગાની ઉધમપુર એરફોર્સ સ્ટેશનમાં રાષ્ટ્રીય સુરક્ષાની ફરજ બજાવતી વખતે શહીદીના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ તેમના મહાન આત્માને તેમના ચરણકમળમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.'
યુદ્ધવિરામની જાહેરાત કરી તે પહેલાં બની હતી ઘટના
આ ઘટના ભારત અને પાકિસ્તાને તેમની યુદ્ધ પ્રવૃત્તિઓ સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી તે પહેલાં બની હતી. ત્રણ દિવસથી ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ શનિવારે યુદ્ધવિરામ પર સંમતિ દર્શાવી હતી. આ યુદ્ધવિરામ 12 મેના રોજ બંને દેશોના ડીજીએમઓ વચ્ચે પ્રસ્તાવિત બેઠક સુધી ચાલુ રહેશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.













