- નાથની યોજાશે આજે જળયાત્રા
- આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે
- 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરાશે
સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો આજથી પહેલો પડાવ શરૂ થઇ રહ્યો છે. નાથની યોજાશે આજે જળયાત્રા. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે.નાથની યોજાશે આજે જળયાત્રા. 12 યાત્રા પૈકીની એક યાત્રા એટલે જળયાત્રા. 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન. 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરાશે. જળયાત્રામાં 14 ગજરાજો તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાશે. 10 થી વધુ ભજન મંડળીઓ જોડાશે. 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાશે. 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે,10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવશે.
રથયાત્રા સમાન ગણાય છે જળયાત્રા
ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ દર્શન કરવાનો એક અનોખો લ્હાવો છે. આજે ભગવાન જગન્નાથજી મામાનાં ઘરે સરસપુર ખાતે જશે. સરસપુર મામાના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં 15 દિવસ સુધી વિગ્રહ રહેશે. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે જળયાત્રા. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા પરંપરાગત 108 કળશમાં લાવશે જળ. 108 કળશના જળ દ્વારા ભગવાનનો થશે જળાભિષેક. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે
બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ લઇ જશે સરસપુર
બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ લઇ જશે સરસપુર . સરસપુર ખાતે ભગવાન મામાને ઘરે જશે. સરસપુર મંદિર ખાતે મોસાળવાસીઓ દ્વારા ભગવાનનું કરાશે સ્વાગત. નિજ મંદિરથી 8 વાગે શરૂ થશે જગન્નાથની જળયાત્રા. ભુદરના આરે 8.30 વાગે થશે ગંગા પૂજન. 9 વાગે નિજ મંદિર પરત ફરશે જળયાત્રા. 10 વાગે જળાભિષેક બાદ થશે માહા આરતી. 11 વાગે ભગવાનના ગજવેશ દર્શનનો મળશે લ્હાવો. 11.30 વાગે મહા આરતી મંદિરમાં થશે.
12 વાગે સાધુ સંતોનો ભંડારો યોજાશે.
12 વાગે સાધુ સંતોનો ભંડારો યોજાશે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી વિશેષ અતિથિ તરીકે રહેશે હાજર. જળયાત્રામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ રહેશે હાજર.કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાશે









