અમરેલી જીલ્લો છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગ ક્ષેત્રે મંદીના વમળમાં ફસાયો છે શું છે કારણ કેવી છે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ કેટલા લોકો આ ક્ષેત્રે જોડાયેલા છે આવો જોઈએ આ રિપોર્ટમાં.અમરેલી જિલ્લામાં ખેતી અને હીરા ઉદ્યોગ બે મુખ્ય વ્યવસાયો છે જેમાં અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ મંદીના માહોલમાં ફસાયો છે.
હાલમાં 50 ટકા કારીગરો
હીરા ઉદ્યોગ ક્ષેત્રે કામ કરી રહેલા રત્ન કલાકારોને પૂરતું મજૂરી કામના મળતું હોવાથી આ અનેક પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે એક સમય એવો હતો કે હીરાના કારખાનાઓ રત્ન કલાકારોથી ધમધમતા હતા. દરેકને પૂરતી મજૂરી મળતી હતી. પરિવારનું ગુજરાન આરામથી ચાલતું હતું છેલ્લા ત્રણ વર્ષથી રશિયા યુક્રેનના યુદ્ધથી હીરા ઉદ્યોગ પર ખૂબ જ મોટી અસર થઈ છે આજે કારખાનાઓમાં રત્ન કલાકારોની સંખ્યા ખૂબ જ ઓછી દેખાય છે 50% જેટલા કારીગરો હાલ કામ કરી રહ્યા છે.

વિદેશથી નથી આવતો માલ
કારણ કે હીરાનો કાચો માલ વિદેશથી આવતો હોય હાલ યુદ્ધના કારણે તેમાં બ્રેક લાગી ગઈ છે ત્યારે મોટાભાગના રત્ન કલાકારો યુવાનો છે અને યુવાનો સરકાર પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે મંદિના વમળો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી રત્ન કલાકારોને સરકાર તરફથી કોઈ સહાય અથવા તો લોન મળે જેનાથી રત્ન કલાકારો અન્ય વ્યવસાયમાં જોડાઈ અથવા તેમના કથળી ગયેલા પરિવારના ગુજરાન ચલાવવામાં મદદરૂપ થઈ શકે.અમરેલી જિલ્લાના હજારો રોટલો કલાકારો બેકારીના ખબરમાં હોમાયા છે,હીરાનું કારખાનું ચલાવતા વેપારી પાસે ગયા અમરેલી જિલ્લામાં 3500 ઉપરાંત હીરાના કારખાનાના યુનિટ છે.
લાંબા સમયથી આ તકલીફ
જેમાં આશરે 50 હજાર ઉપરાંત કારીગરો રોજેરોટી મેળવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ક્યારેય ન જોયું હોય કે ન અનુભવી હોય એવી મંદી હીરા ઉદ્યોગમાં ચાલે છે ત્યારે અમરેલી જીલ્લો ખેતી અને હીરા ઉદ્યોગના વ્યવસાયથી જોડાયેલો છે હાલમાં 1500 જેટલા યુનિટ શરૂ છે બાકીના બંધ થઈ ગયા છે અને 15 થી 20,000 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે 50% ઉપરાંત રત્ન કલાકારો પણ ઓછા થઈ ગયા છે અતિશય મંદિરના માહોલમાંથી પસાર થઈ રહેલ આ હીરા ઉદ્યોગ ને યુક્રેન રશિયાના યુદ્ધની ખૂબ જ ધારદાર અને મોટી અસર થઈ છે ત્યારે અમરેલી જિલ્લાના યુવાન રત્ન કલાકારો ને બેઠા કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારે તેવી રત્નકલાકાર એસોસિએશનની ખાસ માગણી છે.
યુવાનોને નથી મળી રોજગારી
એમ કહેવાય છે કે હીરાની ચમક ક્યારેય ઓછી નથી થતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષ થી રશિયા યુક્રેનના ભયાનક યુદ્ધની અસર થી અમરેલી જિલ્લાના હીરાની ચમક ઝાંખી પાડી દીધી છે અને હજારો રત્ન કલાકારો હજારો કારખાનેદારો બેકાર બન્યા છે સરકાર માટે આ ઘટના ગંભીરતાથી વિચારવા જેવી છે જો સરકાર હીરા ઉદ્યોગ ક્ષેત્રે કાંઈક મદદરૂપ થાય તો હીરા ઉદ્યોગ બેઠો કરી શકાય અને હજારો યુવાનોને રોજગારી મળે.









