• ભરથાણાની મિલકત સહિતની જમીન ખરીદી નાણાં ન ચૂકવ્યાં

  • વડોદરાના વાસણા-ભાયલી રોડના ત્રણ ઇસમ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ
  • જમીન લેનાર દિપકે બાકીના રૂપિયા દસ્તાવેજ સમયે આપીશુ તેમ કહી સોદો નક્કી કર્યો હતો

કરજણ તાલુકાની ભરથાણા ગામની સીમમાં ફરિયાદની જમીન સહિત તેના પર બાંધેલ તબેલા, મકાન, ઢોર ઢાંખર તેમજ અન્ય માલ મિલકત સહિતની જમીન સાથેનો કુલ રૂા.બે કરોડ પાંત્રીસ લાખમાં ભાયલીમાં સોદો નક્કી કર્યો હતો. જે પેટે રોકડા તેમજ બેંકથી અને જમીન પર બેંકની લોનના નાણાં ચૂકવી દઈ ફરિયાદ પાસેથી પાકો દસ્તાવેજ કરી પાકો ભરોસો આપ્યા બાદ અવારનવાર બાકી પડતાં નાણાં રૂા.1 કરોડ 19 લાખ 47 હજાર આજદિન સુધી નહી ચૂકવી ફરિયાદ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવા બાબતે જમીન લેનાર વડોદરાના વાસણા-ભાયલી વિસ્તારના 3 ઈસમ વિરૂદ્ધ કરજણ પોલીસ ફરિયાદ નોંધી છે.

જુની જીથરડી રોડ પર જય સોમનાથ પાર્ક ખાતે પશુપાલક ફરિયાદ ડાહ્યાભાઈ રૂડાભાઈ ભરવાડને સને 2020ની સાલમાં ભરથાણાની સીમમાં બીનખેતીની જમીન વેચાણે લીધી હતી. જેર્મા બાંધકામ કરી તબેલામાં ગાયો ભેંસો રાખી પશુપાલન કરતા હતાં. ત્યારબાદ ગત સપ્ટે.2020માં દિપક પરષોત્તમ પટેલ (રહે. મકાન નં. એ 35, ગેલેક્ષી બંગ્લોઝ, વાસણા ભાયલી રોડ વડોદરા શહેર), તેની પત્નિ ભારતીબેન તથા દીકરા મિલન સાથે જમીન વેચાણ રાખવા માટેની વાતચીત થતાં જમીન, મકાન, તબેલા તથા ભેંસો, ટ્રેકટર સહીત કુલ રૂા. 2 કરોડ 35 લાખ કિંમત નકકી કરી વેચાણ રાખ્યાનો સોદો નક્કી થયો હતો. જેથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરતા પહેલા બેંકના બાકી રૂા.1,03,52,453 ચુકવી બેંકમા લોન ભરપાઇ કરશે. બાકી રૂા.1,31,47, 547 (એક કરોડ એકત્રીસ લાખ સુડતાલીસ હજાર પાંચસો સુડતાલીસ) આપવા પડશે. તેમ ફરિયાદએ જણાવેલ હતુ.

ત્યારબાદ જમીન લેનાર દિપકે બાકીના રૂપિયા દસ્તાવેજ સમયે આપીશુ તેમ કહી સોદો નક્કી કર્યો હતો. જે પેટે રૂા.51 હજાર ટોકન પેટે આપી બીજી રકમના ચેક આપ્યા હતાં. બાનાખત કર્યો હતો. જમીન લેનાર દ્વારા બેંક ઓફ્ બરોડાની લોન પાસ કરાવી લોન એકાઉન્ટમાં બાકી પડતા રૂા.1,03,52,453 આર.ટી.જી.એસથી જમા કરાવી લોન એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. પાકો વેચાણ દસ્તાવેજ વડોદરા બ્રાન્ચની બેકમાં જમા થઇ ગયો છે. જેથી તમે હવે મારા નામે દસ્તાવેજ કરી બાકીના નાણાં તાત્કાલીક ચુકવી આપીશ તેમ કહીને વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે ફરિ.યાદીએ વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા દિપર પરસોત્તમ પટેલ, તેની પત્ની ભારતીબેન અને પુત્ર મિલન વિરુદ્ધ રૂા. 1 કરોડ 19 લાખ 47 હજાર ન ચુકવતા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

બૅંકમાં ડિફોલ્ટર હોવાની જાણ થઇ

બાકીના રૂા.1,19,47,000 માગતા ખોટા ખોટા વાયદાઓ કરાતાં અને આજદિન સુધી માગણી કરવા છતાં ચૂકવ્યા ન હતાં. ફરિયાદને જાણવા મળેલ કે ભારતીબેન તથા દીપક તથા મિલને મારી જમીનના પ્રોપર્ટી તથા વેચાણ દસ્તાવેજ આધારે બેંક ઓફ્ બરોડાની વડોદરા બ્રાન્ચમાંથી કુલ રૂા.1,80,00,000ની લોન લઇ લીધેલ છે. તેઓ લોનના હપ્તા ન ભરતાં લોન લેનાર ભારતીબેન ડીફેલ્ટર થતા બેંકે ફરિયાદની જમીન તથા તબેલાનો કબજો લઈ લીધેલ હોવાની હકીકત બહાર આવી હતી.


  • Follow us on: