- કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા હંમેશા શુભ મુહૂર્ત જોવામાં આવે છે
- માન્યતાઓ અનુસાર દરેક દિવસનો અમુક સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે
- આ સમયે કોઈપણ કાર્ય કરવાથી વિજય પ્રાપ્ત થાય છે
અમિત શાહે આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી 12.39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું . અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.સી. આર. પાટીલે પણ આજ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતુ થુ તમે જાણો છો બહુ ચર્ચામાં રહેલ અને વારંવાર ઉચ્ચારાતુ આ વિજય મુહૂર્ત ખરેખર છે શું ?
માન્યતાઓ અનુસાર દરેક દિવસનો અમુક સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે
કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા હંમેશા શુભ મુહૂર્ત જોવામાં આવે છે. માન્યતાઓ અનુસાર દરેક દિવસનો અમુક સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે કોઈપણ કાર્ય કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વર્ષના 365 દિવસોમાં 11.45થી 12.45 સુધીના સમયને અભિજીત મુહૂર્ત કહી શકાય. દરેક દિવસનો મધ્ય ભાગ (લગભગ 12 વાગ્યે) અભિજિત મુહૂર્ત કહેવાય છે, જે મધ્યના 2 કલાક પહેલા અને પછીનો છે, એટલે કે 48 મિનિટ. જો દિવસનો અડધો સમય સ્થાનિક સૂર્યોદયના સમય સાથે ઉમેરવામાં આવે તો સરેરાશ સમય સ્પષ્ટ થઈ જાય છે. 24 મિનિટ બાદ કરીને અને 24 મિનિટ ઉમેરીને, અભિજીતનો પ્રારંભ સમય અને સમાપ્તિ સમય નજીક આવે છે. આ સમયને વિજય મુહૂર્ત કહેવામાં આવે છે.
વિજય મુહૂર્ત એટલે કે આ સમયે જે પણ કાર્યનો પ્રારંભ કરીએ તો તેમાં સફળતાની સો ટકા ગેરંટી પાક્કી છે.
સનાતન ધર્મમાં કોઇ પણ પૂજા-પાઠ, માંગલિક કાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન કરતા પહેલા શુભ સમય જોવામાં આવે છે. શુભ સમયમાં કોઇ પણ કાર્ય કરતા પહેલા માન્યતા છે અચુક શુભ ફળ પ્રાપ્ત થાય છે અને સફળતા મળે જ છે.
અભિજીત મુહૂર્ત ક્યારે થાય છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અભિજીત મુહૂર્ત દરરોજ બપોરના 24 મિનિટ પહેલા શરૂ થાય છે અને તે બપોર પછી 24 મિનિટ સુધી ચાલે છે.
અભિજીત મુહૂર્ત કેટલા સમયનું હોય છે?
અભિજીત મુહૂર્તનો સમયગાળો દરરોજ 48 મિનિટનો હોય છે. અભિજીત મુહૂર્તનો સમય સૂર્યોદય પ્રમાણે દરરોજ બદલાય છે.
અભિજીત મુહૂર્તને સમજવાની રીત
જો તમારે જાણવું હોય કે અભિજીત મુહૂર્ત ક્યારે અને કેટલો સમય છે, તો ધારો કે જો સૂર્યોદય સવારે 6:00 વાગ્યે થાય છે, તો બપોર 12:00 અને 24 મિનિટ પહેલા એટલે કે બપોર પછી 11:36 થી 24 મિનિટ થશે. બાદમાં એટલે કે 12:24 સુધી અભિજીત મુહૂર્ત ગણાશે.
શુભ સમયે શુભ કાર્ય
જો તમે પૂજા, લગ્ન, પૈસાનું રોકાણ, ભૂમિ પૂજન, મુંડન અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવા જેવા કોઈ શુભ કાર્ય કરવા માંગતા હોવ તો તેના માટે અભિજિત મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલ તમામ કાર્ય શુભ ફળ આપનાર માનવામાં આવે છે.