• બોરસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા નાર ઓવરબ્રિજ ઉપર મધરાતે હિટ એન્ડ રન

  • બસને ટક્કર મારી ટ્રક ફરાર,બસમાં 31 જેટલા મુસાફરો હતા : મોટી જાનહાનિ ટળી
  • પેટલાદ રૂરલ પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી

બોરસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા નાર ગામના ઓવરબ્રિજ ઉપર પુરપાટ ઝડપે જતી ટ્રકે આગળ જતી એસટી બસની ઓવરટેકની લ્હાયમાં ટક્કર મારતાં બસ ડિવાઈડર સાથે ભટકાઈ હતી જેમા ડ્રાઈવર સહિત દશ જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. જોકે એસટી બસના ચાલકની સમયસૂચકતાને કારણે સદનસીબે મોટી જાનહાની ટળવા પામી છે. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ત્યાંથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પેટલાદ રૂરલ પોલીસે આ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના ડુંગરગામ ખાતે રહેતા અને એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ફરિયાદી નટવરભાઈ ચંદુભાઈ રાઠવા 31મી તારીખના રોજ સાંજના છ વાગ્યાના સુમોર છોટાઉદેપુરના કવાંટ ખાતેથી બસ નંબર જીજે-18, ઝેડ-7283માં 31 જેટલા મુસાફરો ભરીને ગારિયાધાર જવા માટે નીકળ્યા હતા. એસટી બસ મધ્યરાત્રિના સવા બારેક વાગ્યાના સુમારે બોરસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા નાર ગામના ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી એક ટ્રક પુરપાટ ઝડપે આવી ચઢી હતી અને ઓવરટેકની લ્હાયમાં ટ્રકનું પાછળનું કોઠીયું એસટી બસ સાથે અથડાતા ડ્રાઈવર નટવરભાઈએ પોતાની બસ ડાબી સાઈડે દબાવતા બસ ડિવાઈડર ઉપર ચઢી જવા પામી હતી જેને લઈને ડ્રાઈવરને પગે તેમજ શરીરના ભાગે અને બસમાં સવાર આઠથી નવેક જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.

એકદમ જ ટ્રકની ટક્કર વાગતા બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. જેથી આસપાસના રહીશો તેમજ જતા આવતા વાહનચાલકો એકત્ર થઈ જવા પામ્યા હતા અને તુરંત જ 108 મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ આવી પહોચ્યા હતા અને ઘવાયેલા મુસાફરોને સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ પેટલાદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને ડ્રાઈવર નટવરભાઈની ફરિયાદ લઈને ટક્કર મારી ફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તેને સીસીટીવી ફુટેજની મદદથી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રઈજીપુરા-વાસદ માર્ગ ખખડધજ : અકસ્માત ઝોન

સારસા-વાસદ રોડ ઉપર રઈજીપુરા ગામથી વાસદ ટોલનાકા બે કિ.મી. રોડ ભયંકર ઉબડખાબડ ધોવાણ થઈ ગયેલ તેમજ વાહનચાલકો માર્ગ પુરવાર થયો છે. ચોમાસાની વિદાય બાદ દિવાળીના તહેવારોમાં બાઇક સવારો- દ્વિચક્રી વાહન ચાલકોના અકસ્માત નિવારણ માટે દિવાળી દિન સુધારવા યુદ્ધના ધોરણે આ માર્ગનું મરામત કામ આ વિસ્તારના રહીશો ઈચ્છે છે. ગાબડાંઓેમાં પાણી ભરાવાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ રાત્રે વધે છે.


  • Follow us on: