- સિદ્ધપુર તાલુકાથી જમીન માપણી સર્વેની કામગીરી શરૂ કરાશે
- જમીન માપણીની સર્વેની વિશેષતા એ છે કે આ માપણી ડ્રોનથી કરાશે.
- જમીન સર્વેની કામગીરીમાં પાટણ જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે
ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે સ્વામિત્વ યોજના ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દેશમાં જમીન માપણી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ વર્ષે કરવામાં આવતી જમીન માપણીની સર્વેની વિશેષતા એ છે કે આ માપણી ડ્રોનથી કરાશે.
આ યોજના અંતર્ગત રાજ્યના પ્રાથમિક તબક્કામાં જિલ્લામાં હેડક્વાર્ટર તાલુકાના 2294 ગામોમાં ડ્રોનથી માપણી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જે અંતર્ગત રાજ્યના 27 જિલ્લામાં 1308 ગામોમાં ડ્રોનથી માપણી પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત જમીન સર્વેની કામગીરીમાં પાટણ જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાથી આ કામગીરીની શરૂઆત કરાશે.










