- રૂ.10ના બદલે રૂ.50 કપાવવા લાગતા વાહનચાલકોમાં વ્યાપક રોષ
- લોકલ હોય તેઓએ વાહનની રજીસ્ટ્રેશન બુક અને આધારકાર્ડ જમા કરાવવા જરૂરી
- પાંચ રૂપિયા લોકલ ચાર્જ વસુલવાની નિર્ણય લેવાયો હતો
જેતપુરના પીઠડીયા પાસે આવેલ ટોલ પ્લાઝામાં લોકલ વાહનોના ફસ્ટેગમાંથી દસને બદલે પિસ્તાલીસ રૂપિયા જેટલી રકમ કપાઈ જતા લોકલ વાહન ચાલકોમાં ઉહાપોહ મચી ગયો છે. વાહન ચાલકો આ બાબતની દલીલ કરવા જાય તો ટોલ પ્લાઝાના સંચાલકો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ થયા છે જેથી ટોલ પ્લાઝામાં લોકલ વાહન ચાલકો પાસેથી લોકલ ચાર્જ વસુલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પીઠડીયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા વર્ષ 2007-08માં જ્યારે બનતું હતું ત્યારે જ જેતપુરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો. જે વિરોધના પગલે તત્કાલીન સમયે જેતપુર ચેમ્બર્સ ઓફ્ કોમર્સ તેમજ તત્કાલીન ધારાસભ્ય જશુમતીબેન કોરાટ અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ ટોલ પ્લાઝા અધિકારીઓ સાથે વાટાઘાટો કરી જેતપુર તેમજ તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણી તેઓ પાસેથી કાયમી પાંચ રૂપિયા લોકલ ચાર્જ વસુલવાની નિર્ણય લેવાયો હતો. અને આ વાટાઘાટો ચેમ્બર્સ દ્વારા તમામ લોકોને મૌખિક જણાવેલ.










