જૂનાગઢના માણાવદરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 15 વર્ષની સગીરાને વિધર્મીએ પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,જેમાં સગીરાનું બે મહિના પહેલા પણ અપહરણ કર્યાનો આક્ષેપ પરિવારજનો દ્રારા કરવામાં આવી રહ્યો છે.ઈલિયાસ નામના વિધર્મી યુવકે સગીરાનું માણાવદરથી અપહરણ કર્યું છે જેને લઈ સગીરાના પરિવારે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

[[$googlead]]

વિધર્મીએ લગ્ન કર્યા તે પત્ની પણ હિંદું
પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે યુવકે અપહરણ કર્યુ છે તેની પહેલી પત્ની પણ હિંદુ છે અને તેને પણ બે સંતાનો છે,સગીરા પર વશીકરણ કર્યું હોવાથી માતા-પિતાનું પણ કહ્યું કરતી ન હોવાનો આક્ષેપ માતા-પિતાએ લગાવ્યો છે,સરકાર અને હિન્દૂ સંગઠનો પાસે સગીર દિકરીને વિધર્મીના ચુંગાલમાંથી મુક્ત માતા-પિતાએ માંગ કરી છે,સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી મેડિકલ ટેસ્ટ કરાવવા પણ માગ કરી છે,માણાવદર પોલીસ પાસે વિધર્મી યુવકનું લોકેશન હોવા છતાં ધરપકડ ન કરી હોવાનો આરોપ લાગ્યો છે.

આરોપી પોલીસ પકડની બહાર
સગીરાના માતા-પિતાએ કહ્યું કે આ સમગ્ર કેસને લઈ પોલીસ પણ જાણે છે પરંતુ પોલીસ આરોપીને પકડી પાડતી નથી,હાલ આ મામલે આરોપી અને સગીરા બન્ને મળી આવ્યા નથી ત્યારે આગામી સમયમાં પોલીસ કયારે આરોપીની ધરપકડ કરશે તે જોવાનું રહ્યું મહત્વનું છે કે આરોપી પોતે પરણિત છે અને તેમ છત્તા તેણે સગીરાને ભગાડી છે,બન્ને જણા કયાં છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ કયારે આરોપીને ઝડપી પાડે છે.

ધર્મપરિવર્તન પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે
માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં આવા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. સાબિત કરવાનો ભાર પણ આરોપી અને તેના સહાયકો પર રહેશે. આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. ભોગ બનેલી યુવતી અથવા તેના માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતા પરિવારજનો પણ આવા ધર્મ પરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે.
 
  • Follow us on: