• નાગપાંચમના દિવસે ગોગા મહારાજનો મહાઅભિષેક કરાયો
  • વૈષ્ણવદેવી વિસ્તારમાં આવેલું છે ગોગા મહારાજનું મંદિર
  • નાગપાંચમના દિવસે ભકતો દર્શન કરવા ઉમટયા

આજે નાગપાંચમના દિવસે ભગવાન શ્રી આયરના ગોગા મહારાજનો દિવ્ય મહા અભિષેક કરવામાં આવ્યો છે,આ મંદિર વૈષ્ણવદેવી ખાતે આવેલું છે અને આજે ભકતોએ દર્શનનો લાભ લીધો હતો,આ મહા અભિષેક શરૂ થઈ ગયો છે,અને અલગ-અલગ દ્રવ્યોથી આ અભિષેકની પૂજા કરાઈ રહી છે,ભકતો વહેલી સવારથી ગોગા મહારાજના દર્શન કરવા ઉમટયા હતા

મહા અભિષેક નાગપાંચમના દિવસે

[[$googlead]]

આજે નાગપાંચમના દિવસે વૈષ્ણવદેવી ખાતે આવેલા પ્રખ્યાત મંદિર એવા ગોગા મહારાજનો મહા અભિષેક કરવામાં આવ્યો છે,આ મંદિર સાતે લોકોની આસ્થા જોડાયેલી છે માટે વહેલી સવારથી ભકતોનું દર્શન કરવા માટે ઘોડાપૂર ઉમટી પડયું છે.આ દિવસે મંદિરમાં ખોડીયાર માતાજી અને સિકોતર માતાજીનો નવચંડી યજ્ઞ પણ યોજવામાં આવશે તેમજ સાંજના સમયે શ્રીફળ હોમવામાં આવશે,સાંજે 5 કલાકે મંદિરમાં ભવ્ય આરતી પણ કરવામાં આવશે.

[[$alsoread]]


ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ

આ ઉપરાંત નવનિર્મિત ચાંદીની ગોગા મહારાજની મૂર્તિનું સામૈયુ બપોરે કરવામાં આવશે,જેમા પણ ભકતો દર્શનનો લાભ લેશે,આ મંદિરમાં આજે દિવસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે,અને ભકતો નાગપાંચમના દિવસે શ્રધ્ધા સાથે ગોગા મહારાજના દર્શન પણ કરી રહ્યાં છે.આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.


નાગ પૂજામાં ધ્યાનમાં રાખો આ બાબતો

નાગ પૂજનમાં હળદરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. નાગ મંદિરમાં ધૂપ, દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવવો. નારિયેળ અર્પણ કરો. આ દિવસે સપેરાઓને વસ્ત્ર, અનાજ અને ધનનું દાન કરી શકો છો, જેથી તેઓને પણ નાગપાંચમના દિવસે લાભ થઈ શકે.


  • Follow us on: