• માણસામાં આ 51માં રથયાત્રા હતી

  • દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો : ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું
  • વહેલીસ વારે ભગવાનની પુજા આરતી વિધી પુર્ણ કરી નિજમંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું

માણસામાં આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. બેન્ડવાજા, ભજન કિર્તન અને વેશભુષા સાથે નિકળેલી ભવ્ય રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી.

જેના દર્શનાર્થે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ દર્શનની સાથેસાથે પ્રસાદનો પણ લાભ લીધો હતો. માણસાના કોઠારી ચકલા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી દર વર્ષની માફક આ વર્ષેપણ રથયાત્રાનું આયોજન કરાયુ હતું. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિકળ્યા હતા. માણસામાં આ 51માં રથયાત્રા હતી. વહેલીસ વારે ભગવાનની પુજા આરતી વિધી પુર્ણ કરી નિજમંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું.

આ રથયાત્રા મુખ્ય બજાર, શાકમાર્કેટ, મસ્જિદ ચોક, એસટી ડેપો, ઇટાદરા ચોકડીથી પરત સજ્જનનગર સોસાયટી, અલકાપુરી, પોલીસ સ્ટેશન, રામપીર મંદિર એલ.ડી હાઇસ્કુલ રોડ થઇ નિજમંદિરે પરત ફરી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર રોડની બંને તરફ ભાવિક ભક્તો સ્વાગત અને દર્શન માટે અગાઉથી જ રાહ જોઇ રહ્યા હતા. રથયાત્રાને લઇને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી ના જયઘોશ સાથે ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાળકોએ વિવિધ વેશભુષા દ્વારા ધ્યાન દોર્યુ હતું. અખાડિયનોના કરતબ જોઇ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા


  • Follow us on: