ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પવિત્ર 51 શક્તિપીઠમાંના એક એવા અંબાજી મંદિરે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર દાન-ભેટ અર્પણ કરતા હોય છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના રાજુલાના નિવાસી અને પરમ માઇભક્ત વાસંતીબેન નવીનચંદ્ર વાવડિયાએ મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરી પોતાની ભક્તિ વ્યક્ત કરી છે.
મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરી
વાસંતીબેન વાવડિયાએ મંદિર પરિસરમાં પહોંચીને શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને વિધિવત રીતે આ ચાંદીની પાદુકા સોંપી હતી.માતાજીના ચરણોમાં ધરાવવામાં આવેલી આ ચાંદીની પાદુકાનું કુલ વજન અંદાજે 360 ગ્રામ થાય છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂપિયા 82,800 આંકવામાં આવી છે.
