ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાયા છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેળાવદર-રાજગઢ માર્ગ પરના નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ અત્યંત ઝડપી હોવાથી વાહનચાલકો અને પસાર થતા લોકો માટે મોટો સદંતર ભય ઊભો થયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ભાલ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધો હતો.
વટેમાર્ગુઓને સલામત સ્થળે ખસેડાયા
કોઈ વાહનચાલક કે સાહસિક નાગરિક જોખમ ઉઠાવીને પાણીમાં પ્રવેશવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસે નાળા પાસે જીઆરડી (GRD) જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત, માર્ગ પર અટવાયેલા કે પસાર થઈ રહેલા વટેમાર્ગુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે હોનારત ન સર્જાય.
