આણંદ જિલ્લાના ખંભાતમાં ભાજપના નેતા સામે પરિણીતા પર બ્લેકમેલિંગ કરી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો.આ મામલે આખરે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ઉચ્ચ પોલીસ અધિકારીની મધ્યસ્થી બાદ ગુનો દાખલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા હતાં.
કોર્ટે બંનેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આણંદ જિલ્લાના ખંભાતમાં ચર્ચિત દુષ્કર્મ કેસના બે મુખ્ય આરોપીઓ વિજય ચૌહાણ અને કિરણ જાદવને પોલીસે રિમાન્ડ મેળવવાની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.ઝડપાયેલા આરોપીઓ પૈકી વિજય ચૌહાણ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્યોમાંથી એક છે.પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે બંનેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ સામે 6 મુદ્દાની માગ સાથે રિમાન્ડની માગ કરાઈ હતી.
