સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે ભારે મચાવ્યો છે. હિંમતનગર સ્થિત સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ કેસોના સેમ્પલ ટેસ્ટિંગ બાદ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 10 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આંકડા સામે આવતાં જ આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સ્થિતિ ગંભીર બની છે.
5 પોઝિટિવ પૈકી 4 અને નેગેટિવ પૈકી 8 બાળકોના મોત
આ વાયરસના કારણે બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 5 પોઝિટિવ દર્દીઓમાંથી 4 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ ઉપરાંત, નેગેટિવ રિપોર્ટ ધરાવતા 10 શંકાસ્પદ કેસોમાંથી પણ 8 બાળકોએ દમ તોડી દીધો છે. આમ, જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 12 માસૂમ બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
