સંતરામપુર તાલુકામાં માનવતા શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષભાઈ ભુરીયા અને તેમની પત્ની વચ્ચે કોઈ કૌટુંબિક બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આવેશ અને ગુસ્સામાં ભાન ભૂલેલા પિતા આશિષ ભુરીયાએ પોતાના જ માત્ર 3 માસના અબોલ અને માસૂમ દીકરાને ઘર નજીક આવેલા કૂવાના પાણીમાં ફેંકી દીધો હતો.
સંતરામપુરના ઝાલદડામાં પિતા બન્યો હેવાન
પાણીમાં ડૂબી જવાથી આ ત્રણ માસના નિર્દોષ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. મા-બાપની તકરારમાં એક અબોલ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર ઝાલદડા ગામમાં શોક અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પોતાના કાળજાના ટુકડા જેવા માસૂમ દીકરાની પિતા દ્વારા જ હત્યા કરાતાં ભાંગી પડેલી માતાએ હિંમત દાખવીને ન્યાયની ગુહાર લગાવી છે. પત્નીએ પોતાના જ પતિ આશિષ ભુરીયા વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની વિધિવત ફરિયાદ નોંધાવી છે.
