ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની તોફાની ઇનિંગ સતત યથાવત છે. ગીર જંગલ અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉના અને ગીર ગઢડા પંથકની સ્થાનિક નદીઓ અને વોકળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરના પાણી નિચાણવાળા માર્ગો અને કોઝવે પર ફરી વળતા સમગ્ર પંથકનો વાહનવ્યવહાર વ્યાપક રીતે પ્રભાવિત થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથના આ બંને તાલુકાના કુલ ૧૨ જેટલા મુખ્ય અને આંતરિક માર્ગો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
15થી વધુ ગામો સંપર્કવિહોણા, 4 માર્ગો હજુ બંધ
કારણે ઉના તાલુકાના 10 ગ્રામીણ માર્ગો અને ગીર ગઢડા પંથકના 2 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ બંધ થવાના કારણે 15થી વધુ નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોનો તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. હજુ પણ 4 મુખ્ય માર્ગો પરથી પાણી ઉતર્યા ન હોવાથી તે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા આ બંધ રસ્તાઓ પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
