મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં વરસાદી આફત વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. કોટડા નાયાણીથી કાગદડી તરફ જવાના માર્ગ પર આવેલી ડેમી નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત ઝડપથી વધી રહ્યો હતો. આ દરમિયાન નદી પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા પાણીના ધસમસતા વહેણમાં અચાનક તણાઈ ગઈ હતી.
35 વર્ષીય પિતાનું ડૂબી જવાથી નીપજ્યું મોત
રિક્ષા પૂરના પાણીમાં ગરકાવ થતાં જ તેમાં સવાર પિતા-પુત્ર તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, કમનસીબે 35 વર્ષીય પિતા સિરાનભાઈ કટયારનો મૃતદેહ મળી આવ્યો હતો. પિતાના અકાળે થયેલા મોતથી પરિવારમાં અરેરાટી અને ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
